Thursday, February 21, 2019

કબરો વચ્ચે ચાની ચુસ્કી, અમદાવાદની આવી છે અજબ-ગજબની ‘લકી’ રેસ્ટોરન્ટ


જો તમે ક્યારેય ગુજરાતમાં અમદાવાદની મુલાકાત લો છો તો તમારે લાલ દરવાજા ની નજીક આવેલા લકી રેસ્ટોરન્ટમાં તો અવશ્ય જવું જોઈએ.કેમકે આ અનન્ય રેસ્ટોરન્ટ છે તેની વિશેષતા તેમાંથી બનેલી 12 કબરો છે.એકવાર તમે આ સમાચાર વાંચી લો તો તમને ખબર પડી જશે.



ન્યુ લકી રેસ્ટોરન્ટ એક જુના કબ્રસ્તાન ઉપર બનાવવામાં આવેલું છે.આ કબ્રસ્તાન ના માલિક કૃષ્ણયન કટ્ટી એ જ્યારે આ રેસ્ટોરન્ટ બનાવ્યું ત્યારે આ જૂની કબરો કાઢવાની જગ્યા એ તેની આજુ બાજુ જ ખુરશી ટેબલ લગાવી દીધા.





આ કબરો જુના મુસ્લિમ કબ્રસ્તાન ની છે અને આજે તે ખાવા પીવાની જગ્યા બની ગઈ છે.કટ્ટી કહે છે કે ‘કબરો’ સારી કિસ્મત લઈ ને આવી છે આ કબરો ના કારણે અમારું ભાગ્ય ખુલી ગયું છે.અહીં આવી ને લોકો ને અનોખો અનુભવ મળે છે.કબરો પહેલા જેમ હતી ને અત્યારે પણ તેમ જ છે અમારા ગ્રાહકો ને તેનાથી કોઈ આપત્તિ નથી.



રેસ્ટોરન્ટ ખુલતાની સાથે જ સૌથી પહેલા આ કબરો ઉપર ચાદર ચઢાવવામાં આવે છે.રેસ્ટોરન્ટ ની સફાઈ વખતે કબરો ની પણ સફાઈ થાય છે.
કટ્ટી નું કહેવું છે કે અહીં 2004 ની સાલ માં વિશ્વ ના પ્રખ્યાત ચિત્રકાર એમ.એફ.હુસેન પણ આવેલા અને તેઓ ને એક ચિત્ર પણ ભેટ કરેલું છે.
આ કબરો કોની છે એના વિશે કઈ વધારે જાણકારી નથી.પરંતુ ત્યાંના સ્થાનિકો નું એવું માનવું છે કે આ કબરો વરસો પહેલા થઈ ગયેલા સૂફી સંત ના શિષ્યો ની છે.બાજુ માં સૂફી સંત ની દરગાહ પણ આવેલી છે.લગભગ એક ડઝન જેટલી કબરો અહીં ઉપસ્થિત છે.કબર ની ફરતે લોખંડ ની જાળી પણ છે.


No comments:

Post a Comment